બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાની નાણોટા પ્રાથમિક શાળામાં શાળા વાર્ષિક નિરિક્ષણ યોજાયું।
કાંકરેજ તાલુકાના અમારા બીટના કેળવણી નિરિક્ષક સાહેબશ્રી કુલદીપભાઈ ઠક્કર સાહેબના હકારાત્મક અભિગમનો અનુભવ થયો। તેમને બાળકો સમક્ષ નૈતિક મુલ્યોની સરસ વાતો કરી અને અમારી શાળાના બાળકોએ કરેલ પ્રાર્થના કાર્યક્રમને ખુબ વખાણ્યો।
શાળાની હાજરી બાબતે તેમજ બાળકોના શિક્ષન બાબતે તેમને ખુબ જ સુંદર અભિપ્રાય આપ્યો। આભાર સાહેબશ્રીનો કે જેમની વાણીનો અમને અને અમારા લાભ મળ્યો।